Dharmendra News Updates: બોલિવુડના હિ-મેન ગમાતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન થયું છે. મુંબઈમા વિલે પાર્લે સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના જવાથી બોલિવુડ જગતમાં શોક છવાઈ ગયો છે. હેમા માલિની સહિત ઈશા દેઓલે અશ્રુભીની આંખે અભિનેતાને અંતિમ વિદાય આપી હતી.
સ્મશાન ઘાટ પર સુરક્ષા વ્યવસ્થા વધારાઈ
અમિતાભ બચ્ચન, સલમાન ખાન, આમિર ખાન અને અક્ષય કુમાર સહિત અનેક સિતારાઓએ ધર્મેન્દ્રના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્ર થોડા સમય પહેલા શ્વાસની બિમારીને કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. ત્યારબાદ તેમની ઘરે સારવાર ચાલી રહી હતી.
#WATCH | Maharashtra: Actors Amitabh Bachchan and Abhishek Bachchan arrive at Vile Parle Crematorium in Mumbai. An official statement on veteran actor Dharmendra's health is awaited. pic.twitter.com/JIXuoWvq5L
— ANI (@ANI) November 24, 2025
ડાયરેક્ટર કરણ જોહરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પીઢ અભિનેતા ધર્મેન્દ્રના નિધનના સમાચાર શેર કર્યા. તેમણે કહ્યું કે આ એક યુગનો અંત છે… એક વિશાળ મેગા સ્ટાર… મુખ્ય પ્રવાહના સિનેમામાં એક હીરોનું અવતાર… અતિ સુંદર અને સૌથી રહસ્યમય સ્ક્રીન હાજરી… તે ભારતીય સિનેમાનો એક વાસ્તવિક દંતકથા છે અને હંમેશા રહેશે…
Veteran actor Dharmendra | Film director Karan Johar posts on Instagram - "It is an end of an ERA….. a massive mega star… the embodiment of a HERO in mainstream cinema… incredibly handsome and the most enigmatic screen presence … he is and will always be a bonafide Legend of… pic.twitter.com/Vq1EjyeB3Z
— ANI (@ANI) November 24, 2025
ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના સૌથી આદરણીય અને લોકપ્રિય સ્ટાર્સમાંના એક હતા. સાત દાયકાથી વધુની કારકિર્દીમાં તેમણે 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાં "શોલે", "ચુપકે ચુપકે", "સીતા ઔર ગીતા" અને "ધરમ વીર" જેવી સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે.
25 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી ધર્મેન્દ્રની ફિલ્મ
ધર્મેન્દ્ર 89 વર્ષની ઉંમરે પણ ફિલ્મોમાં સક્રિય રહ્યા. તાજેતરમાં તેઓ "રોકી ઔર રાની કી પ્રેમ કહાની" અને "તેરી બાતેં… મેં ઐસા ઉલ્ઝા જિયા" ફિલ્મોમાં જોવા મળ્યા હતા. હવે તેઓ અમિતાભના પૌત્ર અગસ્ત્ય નંદાની ફિલ્મ "21 કિકીઝ" માં જોવા મળશે. આ અભિનેતાની છેલ્લી ફિલ્મ છે, જે આ વર્ષે 25 ડિસેમ્બરે રિલીઝ થશે. દુઃખની વાત છે કે ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ ધર્મેન્દ્રનું અવસાન થયું.

