Smriti Mandhana ના લગ્ન અટવાયા, પિતા પછી હવે મંગેતર પલાશ મુચ્છલ પણ હોસ્પિટલમાં દાખલ, સામે આવ્યું આ કારણ

પિતા અને થનારા પતિની સતત બગડતી તબિયતને લઈને સ્મૃતિ મંધાના સ્વાભાવિક રીતે ખૂબ જ પરેશાન અને ચિંતિત છે. પરિવારે લગ્નને થોડા દિવસો માટે ટાળી દીધા છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Mon 24 Nov 2025 11:03 AM (IST)Updated: Mon 24 Nov 2025 11:03 AM (IST)
smriti-mandhana-wedding-postponed-after-father-fiance-palash-muchhal-hospitalized-643477

Smriti Mandhana Wedding: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન અને સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાના લગ્ન હાલ મોકુફ રખાયા છે. તેમના લગ્નના માત્ર થોડા કલાકો પહેલાં તેમના પિતા શ્રીનિવાસ મંધાનાને હાર્ટ એટેક આવ્યો, જેના કારણે લગ્ન મુલતવી રાખવા પડ્યા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પરિવાર આ આઘાતમાંથી બહાર આવી રહ્યો ન હતો, ત્યાં થોડી જ વાર પછી સ્મૃતિના મંગેતર અને જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર પલાશ મુચ્છલની તબિયત પણ અચાનક બગડી અને તેમને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

મંગેતર પલાશને હોસ્પિટલમાં દાખલ કરાયા

મીડિયા રિપોર્ટ્સ મુજબ પલાશ મુચ્છલને વાયરલ ઇન્ફેક્શન અને તેજ એસિડિટીના કારણે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારી વાત એ રહી કે પલાશની હાલત ગંભીર નહોતી. સારવાર પછી તેમને જલદી જ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા અને હવે તેઓ હોટેલ પાછા ફર્યા છે. તેમની તબિયત હવે સંપૂર્ણપણે સારી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

પિતા અને થનારા પતિની સતત બગડતી તબિયતને લઈને સ્મૃતિ મંધાના સ્વાભાવિક રીતે ખૂબ જ પરેશાન અને ચિંતિત છે. પરિવારે લગ્નને થોડા દિવસો માટે ટાળી દીધા છે. હાલમાં બધાનું ધ્યાન શ્રીનિવાસ મંધાના જલદી સ્વસ્થ થાય તેના પર કેન્દ્રિત છે.

પિતાને છાતીમાં દુખાવો થયો હતો

સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન રવિવારે સાંજે લગભગ 4:30 વાગ્યે નક્કી થયા હતા. પરંતુ બપોરે લગભગ 1:30 વાગ્યે સ્મૃતિના પિતાને છાતીમાં સખત દુખાવો થયો. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સ્મૃતિના પરિવારના ડોક્ટર નમન શાહે જણાવ્યું કે મેડિકલ ટીમ તેમના પિતાના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે. જો શ્રીનિવાસ મંધાનાની સ્થિતિમાં અપેક્ષિત સુધારો થશે તો તેમને આજે જ હોસ્પિટલમાંથી રજા મળી શકે છે.

પિતા ઑબ્ઝર્વેશન હેઠળ

ડો. શાહે જણાવ્યું કે બપોરે લગભગ 1:30 વાગ્યે મંધાનાને ડાબા ભાગમાં અચાનક છાતીમાં દુખાવો થયો, જેને મેડિકલ ભાષામાં 'એન્જાઇના' કહેવામાં આવે છે. લક્ષણો દેખાતા જ તેમના પુત્રએ તેમને ફોન કર્યો. એમ્બ્યુલન્સ મોકલીને તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા. તેમનું બ્લડ પ્રેશર પણ વધેલું હતું, જેને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો સ્થિતિ બગડે તો એન્જીયોગ્રાફી કરાવવી પડી શકે છે. ડૉક્ટરનું માનવું છે કે લગ્નની તૈયારીઓમાં ભાગદોડ, થાક અને માનસિક તણાવ આના મુખ્ય કારણો હોઈ શકે છે. સ્મૃતિ અને તેમનો પરિવાર સતત ડૉક્ટરના સંપર્કમાં છે.